અમદાવાદનાં મહેરબાન સિટી સિવિલ એન્ડ સેશન્સ જજ
સાહેબ ની કોર્ટ સમક્ષ...
સાહેબ ની કોર્ટ સમક્ષ...
ક્રિમિનલ પરચૂરણ અરજી નંબર : /૨૦
| અરજદાર | : | |
| વિરૂદ્ધ | ||
| સામાવાળા | : |
બાબત : પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ પ્રોહી.ગુ.ર.નં.૫૨૧૦/૨૦૨૦ કે જે પ્રોહી. કલમ ૬૬(બી), ૬૫(ઈ), ૮૧ ના કામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ- ૪૮૨ મુજબ આગોતરા જામીન મેળવવા બાબત....
આ કામના અરજદાર તરફ્ અમો એડવોકેટ ની આપ નામદાર કોર્ટ ને માનસર અરજ છે કે...
(૧)
આ કામ માં ફરિયાદીશ્રી પો.કો. સંજયસિંહ દેહાભાઈ બ.નં ૧૪૬૪ નાઓએ એ રીતે આક્ષેપો કરતી ફરિયાદ હકીકત લખાવેલી કે, અમો કામના ફરિયાદી તથા પો.સ્ટે. ના અન્ય સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતા તે દરમિયાન તેઓને એક બાતમીના હકીકત મળેલ કે એક ઇસમ બહારથી દેશીદારૂ નો જથ્થો લઈ આવેલ છે અને ખોખરા હનુમાન નગર હાલના અરજદાર ના મકાનમાં સંતાડી રાખી ચોરીછૂપી થી મકાન આગળ દારૂ વેચાણ કરે છે, જે બાતમી આધરે બે પંચો ના માણસો બોલાવી પંચમાં રહેવા જણાવતા તેઓએ સ્વખુશી બતાવતા સદર જગ્યાએ રેડ દરમ્યાન હેમંતભાઈ ઠાકોર નાઓ હોવાનું જણાવેલ અને તેઓ ની પાસે પોલીથીન ની થેલીઓ નંગ- ૩૦ મળી આવેલ જે તમામ થેલીઓની...
ગાંઠો છોડી સુંગતા તેમાંથી દેશી દારૂ ની તીવ્ર વાસ આવતી હોય તપાસ કરતાં હાલના અરજદાર ના મકાન માથી સંતાડી રાખેલ ૧૦૩ લીટર દેશી દારૂ કિંમત રૂપિયા ૨૦૬૦/- નો મળી આવેલ જે મુદ્દામાલ અર્થે કબજે લીધેલા ના આક્ષેપો વાળી ફરિયાદ હકીકત નોંધાવેલી.
(૨)
સદર ફરિયાદ ના કામે ત.ક. અધિકારી એ મૂળ તોહમતદાર ને અટક કરી પૂછપરછ કરતાં તેઓએ હાલના અરજદાર નું નામ જણાવેલ હોઈ હાલના અરજદાર નું ફરિયાદ માં નામ વોન્ટેડ આરોપી તરીકે લખાવેલ હોઈ તેઓની ધડપકડ થવાની પૂરેપૂરી શક્યતા હોઈ હાલના અરજદાર તરફ્ આગોતરા જામીન મેળવવાની આ અરજી આપ નામદારકોર્ટ સમક્ષ કરવાની જરૂર પડેલ છે.
(૩)
હાલના અરજદારની આગોતરા જામીન મેળવવા માટેની આ પ્રથમ વખતની જામીન અરજી છે.
આગોતરા જામીન અરજીના કારણો...
( )
હાલના અરજદાર તદ્દન નિર્દોષ અને બે ગુનાહ વ્યક્તિ છે કહેવાતા ગંભીર પ્રકાર ના ગુના માં તેઓએ પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ ભાગ ભજવેલ નથી કે કોઈપણ પ્રકાર નો આર્થિક કે નાણાકીય લાભ મેળવેલ નથી તેથી પણ હાલના અરજદાર ને આગોતરા જામીન ઉપર મુક્ત કરવા હુકમ કરવા મહેરબાની કરશોજી.
( )
વધુમાં હાલના અરજદારને ત.ક.અધિકારી એ ખોટો રાગદ્વેષ રાખી ને સહતોહમતદાર ના નિવેદન ના આધારે ખોટી રીતે સદર ગુનામાં વોન્ટેડ આરોપી તરીકે બતાવી દીધેલ છે તેથી પણ હાલના અરજદાર ને આગોતરા જામીન ઉપર મુક્ત કરવા હુકમ કરવા મહેરબાની કરશોજી.
( )
વધુમાં હાલના અરજદાર પાસેથી ત.ક. અધિકારી એ કોઈ પણ જાતનો મુદ્દામાલ ડિસ્કવર કે રિકવર કરવાનો રહેતો નથી કારણ કે મૂળ આરોપી પાસેથી તમામ મુદ્દામાલ રિકવર થઈ ગયેલ હોઈ હાલના અરજદાર ની કસ્ટોડિયલ ઇન્વેસ્ટિગેશન ની કોઈ તપાસ રહેતી નથી તેથી પણ હાલના અરજદાર ને આગોતરા જામીન ઉપર મુક્ત કરવા હુકમ કરવા મહેરબાની કરશોજી.
(v)
વધુમાં સદર કેસ ચલાવવાની તેમજ જામીન પર મુક્ત કરવાની સત્તા ના.દાર. મેજી. કોર્ટને છે તેથી કેસ ચાલતા ઘણો લાંબો સમય વીતી જાય તેમ હોઈ હાલના અરજદારને ખોટી રીતે જેલમાં રહેવું પડી રહેલ હોઈ તેથી પણ હાલના અરજદાર ને આગોતરા જામીન ઉપર મુક્ત કરવા હુકમ કરવા મહેરબાની કરશોજી.
(v)
વધુમાં હાલના અરજદાર ત.ક.અધિકારી ને સાથ સહકાર આપવાની ખાત્રી આપે છે, તેમજ કોઈપણ જાતનો પૂર્વ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ના હોઈ તેથી પણ હાલના અરજદાર ને આગોતરા જામીન ઉપર મુક્ત કરવા હુકમ કરવા મહેરબાની કરશોજી.
(v)
હાલના અરજદાર તેઓના જણાવેલ સરનામે કાયમી અને સ્થાયી વસવાટ ધરાવે છે તેઓ ક્યાય નાસિભાગી જાય તેવા નથી તેથી પણ હાલના અરજદાર ને આગોતરા જામીન ઉપર મુક્ત કરવા હુકમ કરવા મહેરબાની કરશોજી.
(v)
વધુમાં નામદાર સર્વોચ્ચ અદાલતના Siddharam Satlingapa mhetre v/s state of Maharashtra, (2011) 1 SSC 694 તેમજ Gurubaksh Singh & other v/s State Reported in 1980(2) SSC 565 ધ્યાને લઈ હાલના અરજદારને યોગ્ય શરતોને આધીન આગોતરા જામીન પર મુક્ત કરવા હુકમ કરવા મહેરબાની કરશોજી..
(v)
વધુમાં હાલના અરજદાર ને આગોતરા જામીન પર મુક્ત કરવા માટે આપ નામદાર કોર્ટ જે કોઈ પણ શરતો ફરમાવશો તે તમામ શરતો નું હાલના અરજદાર ચુસ્ત પણે પાલન કરવાની ખાત્રી આપે છે તેથી પણ હાલના અરજદાર ને આગોતરા જામીન ઉપર મુક્ત કરવા હુકમ કરવા મહેરબાની કરશોજી.
(૫)
સબબ અરજ કરવાની કે :-
ખોખરા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ પ્રોહી .ગુ.ર.નં.૫૨૧૦/૨૦૧૯ કે જે પ્રોહી. કલમ ૬૬(બી), ૬૫(ઈ), ૮૧ ના કામે કામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ- ૪૮૨ મુજબ આગોતરા જામીન ઉપર મુક્ત કરવા હુકમ કરવા મહેરબાની કરશોજી...
➔ આ સિવાય આપ નામદાર કોર્ટ ને બીજી કોઈ યોગ્ય અને વ્યાજબી લાગે તે અન્ય દાદ આપશોજી...
Post a Comment